Showing posts with label CONGRESS. Show all posts
Showing posts with label CONGRESS. Show all posts

Sunday, 19 October 2014

વિધાનસભા જંગઃ હરીયાણામાં ભાજપને જનાદેશ તો મહારાષ્ટ્રમાં કોકડું ગુચવાયું


 મહારાષ્ટ્ર અને હરીયાણાની વિધાનસભા ચૂંટણી જંગના પરીણામો આવી જતાં જનાદેશ સપષ્ટ થઈ ગયો છે. બંન્ને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થવા પામી છે. જોકે, હરીયાણામાં ભાજપને સપષ્ટ બહુમતિ મળી છે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ કોઈ પક્ષને બહુમતિ ન આપતાં પુનઃ ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ બંન્ને રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ આવી હોવાથી સમગ્ર દેશની નજર આ બંન્ને રાજ્યોના જનાદેશ પર હતી. ખુબ રસાકસી પૂર્ણ અને ગઠબંધન વગર સ્વતંત્ર રીતે લડાયેલ આ ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્ર અને હરીયાણામાં સફળતા મળી છે. હરીયાણામાં ભાજપે પ્રથમ વખત એકલા હાથે ચૂંટણી લડી બહુમતિ મેળવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભંગાણ થતાં એકલા હાથે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળી નથી પરંતું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
ભાજપે જીતનો સીલસીલો જાળવી રાખતાં કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને ઠેરઠેર ફટાકડા ફોડીને તેમજ મિઠાઈઓ વહેચીને દિવાળીનો જશ્ન મનાવ્યો હતો.ભાજપે જનાદેશ આપવા બદલ બંન્ને રાજ્યની જનતાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જીતને મોદીની લહેર તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહની મહેનતની આભારી ગણાવી હતી. કોંગ્રેસ,એનસીપી સહીત અન્ય પક્ષોએ પણ આ જનાદેશનો સ્વિકાર કર્યો હતો.
ભાજપ સંસદીય દળની બેઠકમાં મહારાષ્ટ્ર અને હરીયાણામાં સરકારની રચના અંગે નિર્ણય લેવામાં આવશે તેમ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
*રાજ્યવાર બેઠકોનું ચિત્ર આ મુજબ છેઃ
*હરીયાણા-
હરીયાણામાં 90 બેઠકોમાંથી ભાજપને 47 બેઠકો પ્રાપ્ત થઈ છે જ્યારે ઈન્ડિયન નેશનલ લોક દળને 19 બેઠકો, કોંગ્રેસ પક્ષને 15 બેઠકો સાથે ત્રીજા સ્થાને, જનહિત કોંગ્રેસને 2 બેઠકો મળી છે તેમજ અન્યને 20 બેઠકો મળવા પામી છે.
*મહારાષ્ટ્ર-
મહારાષ્ટ્રની વિધાનસભામાં 288 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોઈ એક પક્ષને સપષ્ટ બહુમતિ ન મળતાં ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં 122 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે શિવસેના 60 બેઠકો સાથે દ્વિતિય નંબરે ઉભરી આવ્યું છે. કોંગ્રેસ અને એનસીપી અનુક્રમે 42 અને 41 બેઠકો મેળવી છે.જ્યારે અન્ય પક્ષોને ફાળે 20 બેઠકો ગઈ છે. ભાજપે અન્ય સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.જે સંયુક્ત પક્ષોના ફાળે 122 બેઠકો મળી છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરીણામો પછીનું કોકડું?



BJP
NCP


INC


વિધાનસભાની ચૂંટણીના નતિજાથી લોકોના જનાદેશ અને ભગવાવાદી લહેરનો ચિતાર દેશ સમક્ષ પ્રસ્તુત થયો. જનમાનસમાં ઉતરેલો કોંગ્રેસ વિરુદ્ધ જુવાળ ફરી ઉપસી આવ્યો. બંન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી જેમાં હરીયાણામાં કોંગ્રેસની સપષ્ટ બહુમતિવાળી સરકાર હતી જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના સંયુક્ત ગઠબંધન ધરાવતી સરકાર હતી.
ચૂંટણી વખતે તમામ ગઠબંધનો તુટી પડ્યા હતા અને ભાજપ- શિવસેના તેમજ કોંગ્રેસ- એનસીપી સ્વતંત્ર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી બાદ નવા સમીકરણો તૈયાર કરનાર પરીણામોથી પુનઃ ગઠબંધનવાળી સરકાર આવી અને તેનું કોકડુ ગુચવાયું પણ છે.
ભાજપે અને શિવસેનાએ ગઠબંધન તોડતાં શિવસેનાને એક સરકારમાં સામેલ થવાનો મોકો ગુમાવ્યો છે જ્યારે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી ફરીથી સત્તાધારી પક્ષ સાથે જોડાવાનો મોકો પ્રાપ્ત થયો છે. બંન્ને પક્ષોનું ગઠબંધન રચાશે અને સરકાર બનશે તો તે કંઈ ચમત્કાર નહી પણ ઘણા સમયથી થતા પરીવર્તનનું એક પરીણામ હશે.

Friday, 19 September 2014

પેટા ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન...




દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બે વખત વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાઈ. આ બંન્ને ચૂંટણીમાં વિવિધ સમિકરણો અને પ્રાદેશિક પરીબળોએ ભાગ ભજવ્યો. લોકસભાની ચૂંટણીથી વિપરીત પરીણામો પણ જોવા મળ્યા. દેશમાં રાજકીય રીતે ઘણા વિચારાત્મક અને રાજનૈતિક સમિકરણો બદલાયા.
બિહારમાં પ્રથમ તબક્કામાં દસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પહેલાં નિતિશે પોતાના પક્ષના કારમા પરાજ્યની જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ્ં ધરી દીધું હતું. ત્યાં દલિત સમુદાયના જિતનરામ માંઝીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમારના પક્ષે ગઠબંધન કરી લેતાં કોંગ્રેસ સહિત ત્રણે પક્ષોએ પેટા ચૂંટણીમાં સહકારથી જંપલાવ્યું હતું. આ ત્રણે પક્ષોએ ભાજપના રથને આગળ વધતો અટકાવ્યો હતો. જે લોકસભામાં કારમો પરાજ્ય વેઠ્યો તેમને વિધાનસભામાં આગળ વધવા તક મળી અને ત્રણે પક્ષોના ગઠબંધને દસમાંથી છ બેઠકો મેળવી.
ઉત્તરાંચલમાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી ભાજપના વેવને આગળ વધતો અટકાવ્યો હતો. જ્યાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપને પુનઃ ઉજળા દેખાવની આશા હતી.

ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત સહિત નવ રાજ્યોમાં પેટા ચૂંટણી બીજા તબક્કામાં યોજાઈ. આ ચૂંટણી મહત્વપૂર્ણ ગણી શકાય કારણ કે, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપનું શાસન છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપે ખુબ મોટી સીટો જિતી સંગઠન મજબુત બનાવ્યું છે. અહી પેટા ચૂંટણીમાં ગુજરાત અને રાજસ્થાનમાં લોકસભામાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. બંન્ને રાજ્યોમાં છ જેટલી સીટો સાથે કોંગ્રેસે લોકોમાં પુનઃ વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાતમાં ભાજપે ખુબ એડીચોટીનું જોર લગાવ્યા છતાં કોંગ્રેસ ત્રણ સીટો મેળવવામાં સફળ રહ્યું. રાજસ્થાનમાં ત્રમ સીટો મેળવી અને ભાજપને ફક્ત એક જ સીટ મળતાં ભાજપ સામે અસંતોષ હોય તેવું આંતરીક સ્થિતિનું નિર્માણ થયું.
ઉત્તરપ્રદેશની ચૂંટણી મુખ્યત્વે ઝેરીલી વાણી પર અને ઝેરી વિચારધારા પર નિર્મિત બની હતી. અહી લોકસભાના ઉજ્જવળ દેખાવ બાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતવાનો ભાજપને પૂર્ણ વિશ્વાસ હતો. આ પહેલાં થયેલા કોમી રમખાણો અને ઉશ્કેરણીજનક ભાષણો લોકોમાં જૂસ્સો ઉત્પન્ન કરશે તેવું મનાતું હતું. ત્યાંથી ઉભો થયેલો લવ જેહાદનો ચૂંટણી ફટાકડો પણ સૂરસુરીયું બની ગયો હતો. આ વિભાજનવાદી મુદ્દાને લોકોએ અસ્વિકારી ત્યાં ફરીથી મુલાયમસિંહના સમાજવાદી પક્ષ પર લોકોએ વિશ્વાસ મુકતાં ભાજપની આશાઓ ઠગારી નિવડી હતી. માયાવતીએ પોતાના પક્ષના કારમા પરાજ્ય બાદ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ના ઉતારી રાજકીય કુનેહ વાપરી હતી. આ પરીવર્તન પણ ચૂંટણીમાં પરોક્ષ રીતે ભાજપ વિરોધી વાતાવરણને હાવી બન્યું હતું.
ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ સરેરાશ રહ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું પણ ખરુ, છતાં એકંદરે ભાજપને ઉંચી આશાઓ સાથે મત આપનાર વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહેતાં લોકોએ વિરોધમાં મતદાન કર્યું. આ સમય હવે ભાજપને લોકોની લાગણીઓ સમજવાનો છે, આપેલાં વચનો પરીપૂર્ણ કરવાનો છે, વાસ્તવદર્શી કામ કરી પરીવર્તન અને પારદર્શિતા ઉભી કરવાનો સમય છે ત્યારે મતદારોને છેલ્લા સમયે જોઈ લેવાશે તેવી રાજકીય પક્ષોએ વિચારધારા છોડવી જોઈએ.