Thursday, 18 September 2014

દેશમાં સામાજિક સમ્માન આંદોલન ક્યારે થશે અને કેમ આવશ્યક છે ?

રાજકીય પરીભાષાથી થોડા ઉપર જઈને એક સામાજિક દ્રષ્ટીભાવથી દેશના ઉત્થાન માટે જોવુ આજના રાજકીય વાતાવરણમાં અશક્ય છે. વર્તમાન રાજનિતિ દરેક પરીબળને કે ઘટનાને રાજકીય દ્રષ્ટીકોણથી નિહાળે છે. ત્યારે સમાજમાં રહેલા કેટલાય અનિષ્ટ તત્વો, કુરીવાજો, સામાજિક વિસમતાઓ, અન્યાય અને અંધ વિશ્વાસ જેવા સંવેદનશીલ બદીઓ દૂર કરવાની હિંમત કોઈ કરતું નથી.
આજે દેશમાં અન્યાય અને અત્યાચાર સર્વત્ર ફેલાયેલા છે અને તેને શિષ્ટાચાર અને સંસ્કારનો આગવો સિમ્બોલ આપવામાં આવ્યો છે. મહિલાઓનું શોષણ પુરુષો દ્વારા કરવામાં આવે છે તો બાળકોનું શોષણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સામાજિક ભેદભાવ તો ચરમસીમા પર જોવા મળે છે. કહેવાતા સ્વર્ણ અને ઉચ્ચ વર્ગે દલિત અને શોષિત સમાજ પર અપાર અત્યાચાર ગુજાર્યા છે. આ વર્ગે સાચો વિકાસ અને સ્વાભિમાનનો અધિકારી છે જે હજુ પૂર્ણતઃ પ્રાપ્ત થયો નથી.
દલિત અને શોષિત સમાજ શિક્ષિત છે પણ રોજગારીમાં હજુ પણ તેમને અન્યાય થાય છે, સરકારી નોકરીમાં પણ તેમને ફક્ત અનામતના આધારે લેવામાં આવે છે, બાકી અન્યમાં તેમની પસંદગી બહુ જૂજ પ્રમાણમાં કરવામાં આવે છે. સહકારી ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્ર પર હાવી ઉચ્ચ સમાજ આ નિમ્ન વર્ગના લોકોને નોકરી પર રાખતાં હિંચકાય છે અને જ્ઞાતિવાદી સમીકરણો જ્યાં સુધી આ દેશમાં ચાલે છે, ત્યારે આપણું ભાવિ કેટલુ ઉજળુ હશે તે એક યક્ષ પ્રશ્ન છે.
આ પુરાતન જાતિ પ્રથા અને જ્ઞાતિ પ્રથાએ આપણા બૃહદ ભારતનું કાસળ કાઢી નાખ્યુ છે, વર્ષોથી આ દેશમાં ગરીબ અને સામાજિક પછાત જાતિની ઓળખ ધરાવીને જિવતી પ્રજાતિ આ દેશની મૂળ નિવાસી છે. જે આજે પણ સામાજિક હક્ક અને સમ્માનની અધિકારી છે જે કહેવાતા સ્વર્ણ વર્ગે ઝૂંટવી લીધો છે.
દેશ 15મી ઓગસ્ટે અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત બન્યો તો 15મી ઓગસ્ટને સ્વતંત્ર્યતા દિવસ તરીકે મનાવી છીએ તો દલિત,શોષિત અને આદિવાસી જેવા સામાજિક વર્ગો હજુ પણ પોતાના સામાજિક હક્કોથી જો વંચિત હોય તો તેમને ક્યારે આઝાદી મળશે ?? એકવીસમી સદીમાં ચાલી રહેલી આ દુનિયા અને મહાસત્તાઓના સ્વપ્નો બતાવી યુવાઓને ગેરમાર્ગે દોરનારી આજની ભ્રષ્ટ રાજનિતિ આ સંવેદનશિલ મુદ્દાને કેમ અવગણી રહી છે ?? ફક્ત રાજનિતિને જ ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવાનો હોય તો નથી જોઈતી આ આઝાદી.
આજે પણ મારા દાદા અને વડીલો પોતાનો યુવા વયના સંસ્મરણો યાદ કરતા કહે છે કે, આ કરતાં અંગ્રેજી શાસન પ્રથા સારી હતી. હા, એ કંઈક અંશે ખોટા હશે પરંતું તેમને કંઈક તો ગમ્યુ હશે ને જે આજે નથી. 
દલિત શોષિત અને આદિવાસી સમાજનો આ દેશની સંપત્તિ પર પહેલો અને આગવો અધિકાર છે. કોઈ ધર્મ મહાન નથી આપણું સ્વમાન અને સામાજિક સ્મન્વય મહત્વનો છે. તમારા બાળકો અને આવનારી પેઢીઓ તમારો વારસો બુલંદ બનાવે તે રીતે તૈયાર કરવાની જવાબદારી તમારા શીરે છે. જો તમે માનતા હો કે તમારા બાળકો તમારાથી મહાન બને તો જ તમને જીવવાનો હક્ક છે અન્યથા તમે અને પશુમાં કોઈ તફાવત નથી. જૂનું એ સોનું છે તેવી માન્યતા ભુલી જાઓ, જો જુનું એ સોનું છે એ બધેજ સાચુ માનીયે તો પરીવર્તનને અવકાશ નથી. સામાજિક સંઘર્ષ અને રાજકીય કુનેહ કેળવો.
માનવતા અને કરુણાથી કોઈ ધર્મ મહાન નથી. આજે જ્યારે ભુતકાળમાં ડોકીયું કરીયે તો માનવતાથી ભરપુર પાત્રોએ શિષ્ટાચાર અને પ્રણાલિકાઓના નામે પછાત વર્ગોનું ભરપુર શોષણ કર્યુ છે. હવે તેમાંથી જાગવાનો અને જેહાદનો સમય છે. વર્તમાન રાજકીય સ્થિતિ પર ભરોસો રાખીને કોઈ પરીણામ આવશે નહી, જ્ઞાતિવાદ,ધર્મવાદ,પ્રાંતવાદને પોષનારી રાજકીય સ્થિતિને સુધારવા એક નવી ક્રાંતિની જરૂર છે અને તે છે સામાજિક સમ્માન.માનુષી અત્યાચાર સામે લડવા ચાલો કદમ ઉપાડીયે એક સુવર્ણ ભારતનું નિર્માણ કરીએ...

Sunday, 14 September 2014




बाबा रामदेवपीर के दर्शन करने हेतु जानेवाला भक्त लोग...लंबी कतारो मे रास्ते जय बाबारी के नाद से गुंज उठे है ।

Sunday, 24 August 2014

सामाजिक बदलाव क्युं जरुरी बनता जा रहा है ।

भारत नही बल्की पुरे जगत मे समय के साथ बदलाव आया है । वो बदलाव की वजह कोई भी हो सकती है । यही सामाजिक तौर पर हुए बदलाव की बात करे तो हमारा देश सामाजिक परीवर्तन की संस्कृति से बना हुआ लगता है । दमन और अत्याचार यहां लोगो की मानसिकता मे शिष्टाचार के नाम पर झड़ गया है । पुराने समय की एक झांकी करने से भी पता चलेगा की हमारे पूर्वजो ने  लोगो की मानसिकता को नपूंसक बनाकर सदीयो तक जूल्म गुजारा है ।
समाज मे मुस्लिमो की बढती आबादी और हको की आवाज उठने पर शोर मचाने वाले यही महान हिन्दुं धर्म के वंसजो ने संस्कृति का उत्पिड़न क्या नही कीया ?
दलीत,आदिवासी जातियां और महिलाऔ सदीयो से गुलामी का बोज सेहती आई है , संस्कृति और सभ्यता के नाम पर उसको गुलाम बनाकर उनका उत्पिंडन कीया गया । महिलाओ का शारिरीक शोषण करके उसको दैवी का दरज्जा दीया गया ।
आज हमारा देश स्वतंत्र है ? क्या आप पुरी तरह सम्मान के साथ जी रहे हो । हमे आज भी गोळीयो से मारा जा रहा है । आज भी हमारी बहन - बेटीयों पर बेरहमी बलात्कार हो रहा है । हमे अपने हको के लिये लड़ने के लिये संविधान का सहारा मिला है,पर क्या उसके मुताबिक हमे हमारा हक़ मिलता है । आज तक हम दलित पीछड़पन,शोषित,वंचित जैसी पुरानी भाषा बोल रहे है,जो सालो पुरानी हो चुकी है । यह हमे क्या मिला । ये सब तो पेहले भी हमारे पास था और आज भी है ।
हमे शिक्षा प्राप्त करना ही प्रयाप्त नही, उसके आगे बढ़कर भी कुछ करना है । हमारा समाज जो कई सालो से गुलामी की झंझीरो मे डुबा हुआ है उसे बहार निकालना है । लडना है,झगड़ना है । सामाजिक क्रांति की मिशाल बनना है । ये हम सब युवा पेढ़ी की जिम्मेदारी है ।
हम हिन्दुं,मुस्लिम,जैसे धर्मो,सांप्रदायो दलित,आदीवासी जैसे वर्गो से आगे बढ़कर हमारे समाज की तरक्की करनी होगी, संविधान मे मूल्यो का स्थापन करना होगा । ये देश जब तरक्की की कगार पर खड़ा है तब हम ये पिछड़े और वंचित लोगो के लिये कुछ नही करेंगे तो हमारी आने वाली पींढींयां हमे माफ नही करेगीं ।

Thursday, 21 August 2014

हमारा समाज ये धार्मिक विष कब तक पीता रहेगा....

हमारा भारत देश विविधता और सांस्कृतिक वैविध्यता से भरा हुआ है । देश मे हर तरह के लोग अपनी निजी पहचान के साथ जीते है । अपनी संस्कृति,धर्म ,रीतीयो मे बहुत विविधता देखने को मिलती है । हर एक आदमी अपनी अलग पेहचान के साथ जीना चाहता है । हमारे देश के संविधान मे  भी लोगो को समानता और कोई धर्म अपनाने का झिक्र कीया  है ।
आज हमारा देश को प्रगति की राह पर आगे बढाने की जरुरत है तब हमारी युवा संपत्ति को धर्म का अफीन देकर कोमवाद और सांप्रदायिकता फेलायी जा रही है । ये हमारे देश  का युवाओ को गुमराह करने का एक सफल तरीका बन गया है ।कोई ये क्युं नही शिखाता की धर्म हमारे लीये है वो जो कोई भी धर्म क्यु ना हो,हम उसका सम्मान करेंगे ।
जाति - पांति वाद का जिक्र करने वाला ना तो वो धर्म का होता है,ना तो धर्म उसके लिये होता है । सिर्फ सत्ता और गुमराह करके लोगो पर अपना प्रभुत्व कायम बनाये रखने का ही एक मात्र मकसद होता है । ये लोग सभी धर्म और जाति मे मिलते है । वो विष की तरह फैले हुए लोगो ने हमारी वसुधैव कुटुम्बकम् की भावना को नष्ट कर दीया है ।
हमारा धर्म एक है,मानवता और हम उसका ही जिक्र करते है,आज के युवा को सही रास्ता चाहीये जो अपने देश को और ये पुरे समाज को मिलजुलकर आगे बढाये । हमारी आनेवाली पेढीओ को एक स्वस्थ समाज प्रदान करने का अवसर चाहीये ।ये देश के पिडींत और शोशितो पर बहुत हो चुका अत्याचार,अब मौका मिला है तो उसका करे उद्धार ।
हमारे समाज की पिढीयो ने कई आपत्तियां झेलनी पडी है ,वो भी अपने धर्म के कहने वाले फरीस्तो से, तो उस लोगो ने गुलामी की झंझीरो से अब मुक्ति देनी है तो मानवता के राह पर चलकर उन्नती की और बढाने के लिये हमे आपसी गुटबाजी और धार्मिक विष का त्याग करना होगा ।
ये आज की पिढीयो को स्वस्थ शिक्षा प्राप्त नही होती, वो शिक्षा प्राप्त करे और अपनी सामाजिक जिम्मेदारीओ को अदा करे । सामाजिक नेतृत्व प्रदान करके एक उत्तम भारत बनाने का काम मे एकजुट हो जाये ।




Monday, 18 August 2014

हमे चाहीये एक और आजादी...

कुछ दीन पहले भारतने अपना स्वतंत्रता दीन मनाया ।माना गया की पुरा भारत आजाद हो गया है और सब लोग बेहद खुश भी है । देश स्वतंत्र हुए 67 साल हो गये ।
आज भी देश गुलाम है ।झंझीरो से जुडा है ।पहले अंग्रेज देश पर शाशन करते थे । आज देश के बलवान लोग शाशन करते है । पहले कुछ परीवर्तन नही था तो क्या अब क्या परीवर्तन आ गया है, खाक ।
दुनिया जब तेजी से आगे बढ रही है तब हम जातिवाद,धर्मवाद,प्रांतवाद जैसे फालतुं बातो पर हमारा समय बरबाद कर रहे है । हमारा देश गरीबी,बेकारी,असमानता जैसे गंभीर समस्याओ से गड्डा हुआ है, तब हम ये सब मिटाने की बजाय गंदी राजनिति के तरीके से आपसमे झगडे जा रहे है ।
हमे अब दुसरी आझादी चाहीये जहां कोई अपना हो और सबी को आगे बढकर देश के लिये मर मिटने केा कुरबान होने का अवसर प्रदान हो ।

Saturday, 16 August 2014

મારા દાદાને અંતરનો અવાઝ...દાદા સાંભળશો....


વિક્રમ સંવત તિથિ અનુસાર આજે મારા આદરણીય દાદાની પૂણ્ય તિથિ છે.આ દિવસ નથી તો મારા માટે પૂણ્યનો દિવસ કે નથી મારા પરિવાર માટે અને નથી તો મારા દાદા માટે પણ....
હુ દુનિયામાં જેને સૌથી વધુ ચાહતો હતો તેવા મારા આદરણિય દાદા આજના અભાગી દિવસે મને તરછોડી કાયમ માટે ચાલ્યા ગયા અનંતની વાટે...
શિતળા સાતમનો દિવસ અને 27 ઓગસ્ટનો ગોજારો દિવસ મારા જિવન માટે મોટી ખોટ આપનારો બની ગયો જેની પૂર્તિ હુ આજિવન નહી કરી શકું...
મારા દાદા જે મારા આવવાની રાહ જોતા હતા...નાના બાળકની માફક રડીને મારી પાસે મન હળવુ કરતા હતા...એવો લ્હાવો હવે મને નથી સાંપડવાનો..
આ સમગ્ર વર્ષ દરમ્યાન મને તેમની ખુબ ખોટ સાલી છે...
મારા દાદા મને કહેતા હુ મરીશ ત્યારે વૃક્ષો પણ રડશે પણ મને એમ હતું કે મારા દાદાને શુ થાય તેમને મોત ના આવે હુ મર્યા પછી તેમને મોત આવશે પણ તે મને છોડીને ચાલ્યા ગયા છે મને લઈ જવાની કોઈ દરકાર ના કરી....તેમના મૃત્યું દિવસે ખરેખરી ગમગીની હતી વાતાવરણમાં પણ...
તેઓ બહુવિદ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમની આવડત અને કુશળતા ખુબ હતી.તેમનામાં વિવિધ કામોની આવડત પણ અદ્દભુત હતી..તેઓ અભણ હતા પણ સામાજિક મોભો અને માન સન્માનના હકદાર હતા.
હુન્ન્રર કળા અને ગૃહ બનાવટની વસ્તુઓમાં તેઓ ખુબ માહિર હતા...તેમની સદ્દગુણોની યાદી લાંબી છે તેમનું દિલ ખુબ ભોળુ હતું અને સામાન્ય બાળક બનીને વર્તતા અને સજ્જ્ન જોડે તેવો વર્તાવ પણ કરતા હતા. તેઓ ગમે તેને ગમે તેવુ બોલતા પણ તોય નિર્દોષ ભાવે..
તેઓ મને ચાહતા હતા તો હુ પમ તેમને આજે પણ એટલાજ યાદ કરુ છુ મારુ હ્રદય રોજ તેમને યાદ કરી આક્રંદ કરે છે...હુ ભગવાનને પડકાર કરુ છુ કે મને મારા દાદા જોડે સુવાનો મોકો આપે...
તેમને કેન્સરની અસાધ્ય બિમારી હતી અને તેની સામે ઝઝૂમનાર મારા દાદાને હુ ધન્યવાદ આપુ છુકે તેઓ આટલી હદે ઝઝુમી શક્યા...તેમની સેવા ના કરી શક્યો કે તેમની કોઈ યોગ્ય સારવાર પણ હુ કરાવવામાં કાચો રહ્યો છું.મને કોઈ દિવસ માપ ના કરાય તેવો ગુનેગાર પમ રહ્યો...મારી અભિલાષા છે કે મને કેન્સરની વ્યાધિ થાય અને હુ પણ એવી પીડા સહું.બસ દાદા તમારી યાદોમાં જિવતી આ હરતી ફરતી લાશને હવે તમે અપનાવો તેવા ખ્વાબોમાં જિવું છું...મને તમારા ગયા પછી જિવવાની કોઈ ના તો તમન્ના છે કે ના કોઈ ખ્વાઈશ....
Famous Actress Rani Mukharji visit the Ambaji temple and pray Goddess Ma Amba. 

Monday, 11 August 2014

ધર્મવાદી ચેષ્ઠા કરતાં તત્વોથી ચેતો.

ભારત બિનસાંપ્રદાયિકતા અને વિવિધતાને વરેલો દેશ છે.સાર્વભૌમત્વ અને ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિએ દેશ અગ્રેસર છે.રાજકીય નેતાઓ અને છીછરી માનસિકતા ધરાવતા તત્વો સમયાંતરે ધર્મવાદ,કોમવાદ કે પ્રાંતવાદના નામે પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા યત્નશિલ રહે છે યાતો કોઈને કોઈ છમકલાં કરી પોતાનું નિમ્ન હરકતો છતી કરતા હોય છે.જેનો આપણે રોજિંદા જીવનમાં અહેસાસ પણ કરતા હોઈયે છીયે.
દેશમાં આજે હિન્દુ-મુસ્લિમના નામે વિશાળ ખાઈ ઉભી થઈ છે અને તે માટે દેશની રાજકીય તાકાતો અને ભાગલાવાદી તત્વો જવાબદાર છે.તેમણે દંગા,ફસાદો,હુલ્લડો દ્વારા જાણતાં અજાણતાં કોમવાદી ઝેર ભર્યું છે અને તે જવાબદાર છે.આ તત્વો બધા ધર્મો કે સંપ્રદાયોમાં હોય છે તેમને માત્ર સત્તાની ભુખ અને ગેરમાર્ગે દોરવાની ટેવ હોય છે.
તાજેતરમાં હિન્દું ધર્મના બની બેઠેલા ગોડ ફાધર મોહન ભાગવતે પણ એક વિવાદાસ્પદ નિવેદન આપીને હંગામો મચાવી દીધો છે( જોકે આ તત્વોને વિકૃત અને ગેરમાર્ગે દોરનારા નિવેદન આપવાની આદત હોય છે) તેમણે જણાવ્યું કે જો ઈગ્લેંન્ડમાં રહેનાર અંગ્રેજ,અમેરિકામાં રહેનાર અમેરિકન,જર્મનમાં રહેનાર જર્મન છે તો હિન્દુંસ્તાનમાં રહેનાર હિન્દું કેમ નહી??
તેઓ ભુલી જાય છે કે ગેરમાર્ગે દોરે છે તે ખબર નથી પરંતું, ભારતમાં રહેનાર દરેક પ્રથમ ભારતિય છે,અને દરેકને ભારતિય હોવાનો ગર્વ પણ હોય..આ ભાગવતને ના તો ભારતિય હોવાનો કોઈ ગર્વ છે ફક્ત હિન્દું રહેવું છે,ભારતિય નહી.
આવા ઉશ્કેરનારા તત્વો કે લોકો ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી લોકોમાં સાચી સમજ નથી હોતી.દેશ ભક્તિ અને સમાજ સેવા તેમજ માનવતાથી કોઈ ધર્મ મોટો નથી,આપસમાં ઝગડાવે તે ધર્મ નહી પરંતું ધર્મના નામે ચાલતું કલંક છે.આ કલંકથી દૂર થઈ સાચી જાગૃતિ કેલવાય તે વર્તમાન સમયની પ્રબળ માંગ છે.

Sunday, 10 August 2014

શું વાજપેયી અને નેતાજીને "ભારત રત્ન" આપવામાં આવશે?

દેશના સર્વોચ્ય સમ્માન ભારત રત્નને લઈને દેશમાં હાલ ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.ગૃહ મંત્રાલયના એક અધિકારીએ રીઝર્વ બેંકને પાંચ ભારત રત્ન તૈયાર કરવા આપ્યા હોવાની પૃષ્ઠી કર્યા બાદ અટકળો વધુ બનતી જાય છે.
દેશના પૂર્વ વડાપ્રધાન વરિષ્ઠ અટલ બિહારી વાજપેયી તેમજ આઝાદીના લડવૈયા અને નેતાજીના હુલામણા નામથી ઓળખાતા સુભાષચંદ્ર બોઝને દેશના સર્વોત્તમ એવોર્ડથી નવાજવામાં આવે તેવી શક્યતા વધુ છે.ભાજપ અને સંઘ તેમજ કેટલાક સ્વૈચ્છિક સંગઠનો પણ વાજપેયીને ભારત રત્ન આપવાની માંગ કરી ચુક્યા છે.જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થતી રહી છે.
સ્વાતંત્ર્ય પર્વ પર વડાપ્રધાન આ નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.ભારત રત્ન વર્ષમાં ત્રણ આપી શકાય છે ત્યારે પાંચ મેડલ તૈયાર કરવા આપ્યા હોઈ શું કરશે તે પણ એક અટકળનો વિષય છે.
દેશમાં બીજા પણ ધણા નામો પર ચર્ચા થઈ શકે છે કે જેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે તેવી સંભવાના છે,આ માટે કોઈ ઔપચારિક વિધિ કરવામાં આવતી નથી ફક્ત વડાપ્રધાન રાષ્ટ્રપતિને આ બાબતોથી વાકેફ કરી પસંદગીના નામો વિશે જણાવતા હોય છે.

Saturday, 9 August 2014

શિક્ષણ સુધારણા માટે એસએમસીની બેઠક મળી

બનાસકાંઠાના દાંતા અમીરગઢના આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી લોલમપોલ માટે બુનિયાદી અધિકાર આંદોલન ગુજરાત અને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સંયુક્ત ઉપક્રમે કરાયેલા એક સર્વેને લઇ અંબાજીમાં આદિવાસી વિસ્તારમાં ચાલતી શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સહીત આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મફત અને ફરજીયાત શિક્ષણના કાયદાનો અમલ કરવા તેમજ શાળાઓમાં અપુરતા વર્ગો,રૂમોની ઘટ,શિક્ષકોની ઘટ,ટોઈલેટ,બાથરુમની ઘટ આ તમામ બાબતોની જિલ્લા કલેકટરને તેમજ શિક્ષણ વિભાગના સચિવને પણ આ બાબતથી અવગત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.