Saturday 3 January 2015

જાન્યુઆરી મહિનામાં અગ્યાર દિવસ સુધી બેંકીંગ વ્યવહાર ઠપ્પ રહેશે

દેશના વિકાસમાં નાણાંકિય પ્રવાહીતા અતિ આવશ્યક છે. નાણાંકિય સેક્ટરો અને આર્થિક ઉપાર્જન કેન્દ્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ સંકળાયેલો છે. જેમાં બેંકો અને ઉદ્યોગ ગૃહો એકબીજાના પુરક ગણી શકાય. આ રાષ્ટ્રીયકૃત કક્ષાની તમામ બેંકો આગામી સમયમાં 7મી જાન્યુઆરી અને 21થી 24 જાન્યું. દરમ્યાન હડતાળ પાડશે તેવું એલાન કર્યું છે.
રાષ્ટ્રીયકૃત કક્ષાની બેંકો દેશના મોટા ભાગના નાણાકિય વ્યવહારો કરે છે. દિવસના કરોડો રૂપીયાના ટ્રાન્જેક્શન દિવસ દરમ્યાન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને વારંવાર હડતાળ પર ઉતરી જાય છે. આ હડતાળથી દેશના અર્થતંત્રને ભારે ચોટ પણ પહોચતી હોય છે.
આગામી દિવસમોમાં જાન્યુઆરી મહિના દરમ્યાન જ બેંક યુનિયનોએ 7મી જાન્યુંઆરીએ એક દિવસના હડતાળની જાહેરાત કરી છે. ઈન્ડિયન બેંકિંગ એસોશિયેશન અને યુનાઈટ ફોરમ ઓફ બેંક યુનિયનને બીજી 21મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી 4 દિવસ માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
આ જાન્યુઆરી મહિના દરમ્યાન 4 જાન્યું. રવિવાર તેમજ 7 જાન્યું. હડતાળ, 11 જાન્યું. રવિવાર અને 14મી જાન્યું ઉત્તરાયણ તેમજ 21થી 24 દરમ્યાન હડતાળ 25મીએ રવિવાર અને 26મીએ પ્રજાસત્તાક દિવસ હોવાથી આ દિવસો દરમ્યાન બેંકીંગ કામગીરી પૂર્ણ બંધ રહેશે. નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઈ જતાં કરોડોનું ટર્ન ઓવર અટકી જશે. નાણાકિય વ્યવહારો અટકી જતાં દેશના અર્થતંત્રને મોટી અસર વર્તાશે.
આ બેંકિંગ ક્ષેત્ર જ્યારે દેશના વિકાસની ધોરી નસ ગણવામાં આવે છે ત્યારે તેની દિન પ્રતિદિન પડતી હડતાળો વિકાસને રૂધતી હોય છે. આ અંગે કર્મચારીઓની માંગણીઓ સંતોષાય અથવા તો કોઈ નિશ્ચિત પગલાં લેવાય તો દેશના વિકાસમાં અતિ મહત્વપૂર્ણ બેંકિંગ ક્ષેત્રને થતા અન્યાયને નિવારી શકાય.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.