Friday 24 April 2015

किसान कि खुदखुशी पर राजनीति

दिल्ली मे किसान ने खुदखुशी करने कि घटना एक एसे मोक मोके पर लाकर खडा कर देता है कि सत्ताधिशो को सोचने के लिए मजबूर होना पडे । लेकिन  फिर भी ये राजकिय पार्टीयां कि निर्लज्जता तो देखीये, ये शवो पर राजनीति करने उतर जाती है।
प्रधानमंत्री बनने से पहले बिहार मे बम धमाका करवाकर उक्सानेवाला भाषण देनेवाला नरेन्द्र मोदी केजरीवाल को उपदेश दे रहा है। अपने आप मे झांककर क्यु नही देकते, क्यां कर रहे है वो ऐसा, कि एक किसान को राजस्थान से दिल्ही आकर खुदखुशी करनी पड रही है। सरकार उनकि है, समस्या भी उन्हो ने खड़ी कि है, समाधान भी वो सब लोगो को मिलकर करना है । फिर भी ये कुछ तरीका निकाल ने से पहले कोई ट्वीट्टर पर राजनीति करता है, तो कोई शेरीयो मे । कितने दिन पकती रहेगी ये तुम्हारी रोटीयाँ और कितने दिन तक शहीद होते रहेंगे किसान ।
समाज मे एक किसान ही एसा है जिसको खुदखुशी करनी पड रही है, आखीर क्युं, ईसलिए तो नही कि वो लोगो को गेहु, बाजरा लोगो को खीलाता है ।
आज गुजरात के एक गांव मे किसानने खुदखुशी करने का प्रयास किया लेकिन वो बच गया और पुलिस ने उसको गिरफ्तार कर लिया । उसका गुनाह यह कि वो बच गया? कंपनी ने उसकि पर विन्डफार्म लगा कर गेरकानुनी जमीन हडप ली थी । उसको कोई मिडीया भी मुद्दा नही बना रहा । आखीर इसलीए कि वो गुजरात है, वहां नरेन्द्र मोदी का पाप से उस कि जमीन गई है ।

Thursday 16 April 2015

રાજ્યમાં કૃષિ વિષયક સ્થિતિ અને સિદ્ધ થયેલ લક્ષ્યાંકો

દેશનો આધાર જે પર ટકી રહ્યો છે અને ગ્રામ્ય સમુદાયનો મોટા ભાગનો જન સમુદાય જે પર નિર્ભર છે તેવી કૃષિ સંપત્તિની અવગણના કરવી દેશના આર્થિક વિકાસ અને જીડીપીના વૃદ્ધિ આંકને ઘાતક નિવડી શકે છે. કેન્દ્રીયકૃત યોજનામાં કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા અગિયારમી પંચવર્ષિય યોજના (2007-12) દરમ્યાન કૃષિ મંત્રાલયના કૃષિ અને સહકાર વિૅભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરી હતી. આ ક્ષેત્રમાં ખાનગી મૂડી રોકાણ અને ઉત્પાદન તેમજ નવીન ટેક્નોલોજી અને ઘરેલું ઉત્પાદન નિર્ભરતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કેટલીક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને તેને પુરતું ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ હતું.
આ યોજનાએ પુરતા લક્ષ્યાંકો અને તેની પરીયોજનાને બારમી પંચવર્ષિય યોજના દરમ્યાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ પરીયોજના 2007-08ના વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવી હતી અને કૃષિક્ષેત્રમાં 4%ના વૃદ્ધિદરને હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્રિય સહાય દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
રાજ્યમાં અગિયારમી પંચવર્ષિય યોજના દરમ્યાન દેશના 4.06%ના સરેરાશ વિકાસ દરની સામે ગુજરાતનો સરેરાશ વિકાસ દર 5.49% પ્રતિવર્ષ નોંધાયો હતો. રાજ્યમાં ઉત્પાદિત ધાન્ય પાકો અને બાગાયતિ પાકોના ઊંચા ભાવો, કપાસ તેમજ પશુધન ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે વિકાસ આંક જળવાઈ રહ્યો હતો. કૃષિક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા 38 પરીયોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ રૂપરેખાના માળખા પર અમલીકરણ કરીને સરકારે કૃષિક્ષેત્રમાં સ્થિરતા હાંસલ કરવાની હતી જેમાંથી 21 પરીયોજનામાં મહત્તમ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો હતો જ્યારે 11 પરીયોજનાઓમાં આંશિક નિષ્ફળતા મળી હતી કે ઘટાડો નોંધાયો હતો. આ પરીયોજનાઓમાં કેટલીક તૃટીઓ અને અમલીકરણમાં ક્યાંક નિષ્ફળતા બહાર આવી હતી. જેમાં યોગ્ય ભંડોળની ફાળવણી તેમજ પરીયોજનામાં ચોક્કસ જોગવાઈના અભાવે અમુક યોજના નિર્ધારીત ધ્યેય હાંસલ કરે તે પહેલાં જ બંધ થઈ ગઈ હતી. પશુધનમાં પ્રસારીત રોગને કાબુમાં લેવા જીવવિકાસશાસ્ત્રીય અભિગમથી પરીયોજનામાં નાણાંકીય જોગવાઈ ન હોવા છતાં અનિર્ધારીત નાણાંકીય જોગવાઈ ઉપલબ્ધ કરવાની થતાં પણ યોજનાને એક નિષ્ફળતા રૂપ કારણ ઉભુ થવા પામ્યુ હતું. પરીયોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સ્તરીય અને મધ્યસ્તરીય એજન્સી થકી નિયંત્રણ કરવામાં અપુરતા સંકલનના અભાવે પ્રસ્તાવિત 26 ત્રિમાસિક બેઠકોની સામે માત્ર 11 બેઠકો બોલાવાઈ હતી.
ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં દરીયા કિનારે આવેલું છે અને 1600કિમીનો દરીયાઈ પટ્ટો ધરાવે છે. રાજ્યના 19.61 મિલિયન હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંથી 98.01 લાખ હેક્ટર અર્થાત 50% વિસ્તારમાં ખેતી થાય છે. રાજ્યના દસેક જિલ્લાઓના 70% જમીન વિસ્તાર પર ખેતી થઈ શકે છે જ્યારે 9.75% વિસ્તારમાં જંગલો અને 10.50% જમીન વિસ્તાર ખરાબાની છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને કચ્છમાં રણ વિસ્તાર પાણીની અછતની સમસ્યાગ્રસ્ત છે. ગુજરાતમાંથી ઉત્પાદિત કૃષિ પેદાશોમાં નોંધપાત્ર પ્રદાન રહેલ છે. બાજરી, મગફળી અને કપાસનું ઉત્પાદન અન્ય રાજ્યોની સરખામણીએ નોંધપાત્ર છે. કૃષિમાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયતી પાકોમાં અને પશુધન ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં પણ રાજ્યનો આંશિક ફાળો છે. જેમાં ફળો, શાકભાજી, દૂધ,ઈંડાં, ઉન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે 2007-8થી 2013-14ના વર્ષ દરમ્યાન કૃષિ અને સહકાર વિભાગે નિર્ધારીત 2495.10 કરોડના નિર્દેશીત ખર્ચની સામે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં 2541.13 કરોડનો ખર્ચ નોંધવામાં આવેલ છે. આ મુજબ 46.03 કરોડનો તફાવત નિર્દેશીત થાય છે. રાજ્ય સરકારે 2007-08ના વર્ષનાં જિલ્લા કૃષિ યોજના અને સર્વગ્રાહી કૃષિ યોજના અંગેના 2.20 કરોડના ખર્ચના વપરાશી આંક સરકારે રજુ કર્યા નથી. વર્ષ 2008-09ના વર્ષના128.88 કરોડના ભંડોળની વિનિયોગ હિસાબી વિગતો રાજ્ય સરકારે ડિસેમ્બર 2014 સુધી હાથ ધરી નથી.
રાજ્યના કૃષિ અને પશુ સંપત્તિના વૃદ્ધ અને વિકાસમાં રહેલી તૃટીઓ અને પરીયોજના અમલીકરણની નીતિઓમાં સમવાયી આયોજન સ્થાપી ગ્રામ્ય માળખાકીય સમન્વયી આયોજન થાય તો દેશના અને રાજ્યના કૃષિ વિકાસ દરમાં વધારો સ્થાપી શકાય. આ અંગે સરકાર કેટલે અંશે સભાન છે અને સરકારની ખેડૂત અને કૃષિ પેદાશ વિષયક નીતિમાં સક્રિયતા અપનાવે તેમજ પરીયોજનાના સુદ્દઢ અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરે તે જ એક સવાલ છે.

Tuesday 14 April 2015

आंम्बेडकर एक विरल व्यक्तित्वः क्रांति कि मिशाल

डॉ. भीमराव आंबेडकर भारतवर्ष मे एक ज्योत बनकर आये थे । वो खुद को जलाकर समाज मे समानता कि रोशनी फैलाकर चला गया । उसने पारंपारिक दिवारे तौडकर वंचित समाज और बहिष्कृत भारत के लिये जो किया है, काश, उस समय का कोई भी आदमी करने मे नाकाम था ।
एक सामान्य परीवार मे पैदा हुआ एक विरल व्यक्ति ने अपनी खुद कि प्रतिभा के बल पर सामाजिक, आर्थिक और राजनितिक बदलाव लाने मे अहम् भूमिका निभाई ।
डो. बाबासाहब भीमराव रामजीराव आंबेडकर का जन्म 14 अप्रिल 1891 मे मध्यप्रदेश कि महु लश्करी छावनी मे हुआ था । उस के पिता रामजीराव लश्करी स्कुल मे अध्यापक था और माता भीमाबाई गृहस्थी थे ।
संघर्ष के काल मे सामाजिक अस्पृश्यता का कलंक मिटाकर पिछडे समाज और पददलितो कि उन्नति के लिये उनका जो प्रदान रहा है वो विस्मरणीय है ।
वो समय मे अकेला लडते झझुमते दलितो, महिलाओ और मजदूरो के हीतो कि  हिफाजत उन्हो ने कि है शायद आज के समय मे काश कोई नही कर पाया । हिन्दूं धर्म मे व्यापत् गंदी रीतिनीतिओ से तंगे आकर उन्हो ने धर्म परीवर्तन करने का फैसला किया जो एक क्रांति कि मिशाल माना जाता है।
 आज के दिन उन को फूलो कि माला पहनाने वाले और लंबे चौडे भाषण फैंकने वाले नेता यह नही जानता कि बाबा साहब दलित नही थे, वो एक महा मानव थे । सर्व समाज के हित, समानता और बृहद् भारत के हितो कि हीफाजत के लिये अपना जिवन कुरबान कर दिया था । उनको एक दलित या महादलित बनाकर छोटा करने का हीन कृत्य आज के आंम्बेडकरवादी समुह कर रहे है ।
उनके मिशन को भुलकर अपनी छोटी राजनीतियो मे समाज व्यस्त हो गया है । समाज मे नये तरीके से फैली गंदकी को साफ करने के लिये फिर नया बोधिसत्व आंम्बेडकर का ईन्तजार है।

Monday 13 April 2015

વડાપ્રધાનની વિદેશયાત્રાઃ હલ્કી પ્રસિદ્ધિવાળી કે કૂટનીતિઓનો સમન્વય?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે. ગત્ યુપીએ સરકાર વખતે વિદેશપ્રવાસ મુદ્દે ચૂટકી લેનાર ભાજપ મોદીના વિદેશ તમાશાઓના મુદ્દે મૌન છે અને પ્રવાસને વિકાસના નવા રૂપથી જોઈ રહી છે. વડાપ્રધાન વિદેશમાં કૂટનિતીઓ કરતાં પ્બલિસીટી વધારે કરી રહ્યા છે. વિદેશ પ્રવાસ વખતે પોતાના દેશના રાજનિતિજ્ઞો તરફ હૂમલા કરીને મોદીઓએ પોતાને સડકછાપ નેતા હોવાનો વધુ એક પુરાવો આપી દીધો છે.
વાજપાયી સહીતના અગાઉના નેતાઓમાં જે વિદેશનીતિ અને કુનેહ હોવી જોઈતી હતી તેની મોદીમાં સપષ્ટ કમી જોવા મળી રહી છે. મોદીનો વિદેશમાં જઈને દેશની પૂર્વ સરકારો પર પ્રહારો કરવામાં કઈ દેશહીતની નીતિ છુપાયેલી છે તે એક સંસોધનનો વિષય છે.
મોદી વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને સંબોધે તે એક સકારાત્મક શરૂઆત છે. વિદેશી નાગરિકો સાથે સકારાત્મકતા કેળવી ભારત પ્રત્યે નવીન અભિગમ ઉભો કરવામાં મોદી પ્રયત્નો કરે તે આવકાર્ય છે. પરંતું, દેશની લોકશાહીના હીતોને ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે. રાજનીતિ અને દેશનીતિમાં તફાવત સમજવો જોઈએ. વડાપ્રધાન એટલા તો ગાફેલ નથીજ પરંતું, પોતે પોતાના નીજી સ્વાર્થ અને હલકી પબ્લિસિટી માટે દેશની લોકશાહીને ભાંડીને પોતાના પગ પર કુહાડો તો નથી મારી રહ્યાને.
દેશને નવા ક્ષેત્રની ઉડાનો પર પહોચાડવા અને અચ્છે દિનો કે વાદોના સ્વપ્નાઓ પર સવાર થઈને આવેલી મોદી સરકાર દેશના આંતરિક પ્રશ્નોના ઉકેલો લાવે તોય ઘણુ છે. અન્ય દેશોમાં પોતાનો ડંકો વગાડવામાં અને હલ્કી પબ્લિસિટી મેળવવામાં માહેર મોદી વિદેશની કૂટનીતિઓમાં કાચા રહેશે તો નવાઈ નહી. દેશના એક જવાબદાર નાગરિકની ભાષામાં વાત કરવી જોઈએ, પોતે વિદેશમાં લોકતાંત્રિક ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા છેકે ભાજપનું તે દેશના પ્રબુદ્ધ સમાજે સમજવાનો સમય છે.

Friday 3 April 2015

રાજ્ય સરકારે અદાણી ગૃપને 58.64 કરોડની લ્હાણી કરી

રાજ્ય સરકારે કચ્છના મુંદ્રા અને ધ્રબ ગામોની 2008.42 હેક્ટર જમીન સરકારના નિર્ધારીત ધારા ધોરણોની ઉપરવટ જઈને અદાણી ગૃપને ફાયદો કરાવ્યો છે. કેગના રીપોર્ટમાં અદાણી ગૃપને આ કારણે 58.64 કરોડનો ચોખ્ખો ફાયદો પહોચ્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય પાસેથી સુ્પ્રીમના દિશા નિર્દેશથી ઉપરવટ જઈ મોઘાભાવની જમીન બારોબાર પધરાવી દીધી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રાલયની એક દરખાસ્ત મુજબ 2004માં કચ્છ જિલ્લાની મુંદ્રા અને ધ્રબ ગામોની 2008.42 હેક્ટર જમીન અદાણી કેમિક્લ્સ લિમીટેડને સૌર નમક યોજના અને નમક ઘાટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

અદાણીએ સ્પેશિયલ ઈકોનોમી ઝોનમાં જંગલની જમીનનો ઉપયોગ કરવા અને વધુ સુવિધાઓ વિકસાવવા માટે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી ગુજરાત પર્યાવરણ મંત્રાલય દ્વારા માંગી હતી. આ નિર્ણય લેવાય તે પહેલાં સુપ્રીમ કોર્ટે ભારતના જંગલોને છ પરીસ્થિતિ વિષયક સ્થિતિમાં વર્ગિકૃત કર્યા હતા અને તે મુજબ ચોખ્ખી વર્તમાન કિંમતોના દર જાહેર કર્યા હતા.

આ સુપ્રીમના ધારાધોરણ મુજબ કચ્છ જિલ્લાના જંગલો બે વર્ગોમાં વહેચાયેલા છે. ઈકો ક્લાસ-2, લીટ્ટોરલ અને કળણવાળા જંગલો તેમજ અકો ક્લાસ-4, ઉષ્ણ કટીબંધિય અને કાંટાળા જંગલ. આ જમીનમાં કિંમતોના દર 40 ટકા કરતાં ઓછી ગીચતા ધરાવતા જંગલની ખુલ્લી કિંમતના દર અનુક્રમે 7.30 લાખ અને 4.38 લાખ નિર્ધારીત કરવામાં આવ્યા હતા. જેમાં અદાણી કેમિકલ્સ લિમીટેડને 2008.42 હેક્ટર જંગલની જમીન 4.38 લાખ પ્રતિ હેક્ટરના દરે 87.97 કરોડ રકમમાં આપી હતી. આ જમીન સમુદ્ર કાંઠાના વિસ્તાર પર આવેલી હતી અને જંગલમાં ઈકો ક્લાસ-2ના લિટ્ટોરલ અને કળણના જંગલનો પટ્ટો હોવાથી તેની વાસ્તવિક કિંમત 7.30 લાખ પ્રતિ હેક્ટર હતી. આ જમીન સંપાદન અંગે વન સંરક્ષક ભૂજ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જંગલની તબદીલ કરેલી જમીનનો વિસ્તાર સમુદ્રનો બ્રાહ્ય વિસ્તાર હતો અને ખાડીઓ મેન્ગ્રુવ વનસ્પતિથી ભરપુર જમીન વિસ્તાર હતો.

આ રીતે સરકારે ખોટી રીતે જમીનને વર્ગીકૃત કરીને ઈકો ક્લાસ-2ની જમીનને ઈકો ક્લાસ-4માં પધરાવી દઈ 58.64 કરોડની ઓછી વસુલાત કરી હતી. સરકારે અદાણી ગૃપને આ રીતે 58.64 કરોડનો ચોખ્ખો લાભ કરાવ્યો હતો જે અંગે કેગ દ્વારા મે 2014માં સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સરકારે કોઈ જવાબ પાઠવ્યો નહોતો. વર્તમાન રાજ્ય સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો અનેક વખત સરાજાહેર થઈ ચુક્યા છે. વિપક્ષોએ પણ અદાણીના મુદ્દે સરકાર પર અનેક વખત માછલાં ધોવામાં બાકી રાખ્યા નથી ત્યારે આ કેગના રીપોર્ટ દ્વારા સરકાર તરફ ચિંધાયેલી આંગળી ઘણું બધું કહી જાય છે.

गुजरात मे नरेन्द्र मोदी का काल अदानी परीवार के लिए सुवर्ण काल माना जाता था, वही सिलसीला आनंदीबेन पटेल की सरकार भी अपना रही है। उद्योगपतिओ कि जी हजूरी करके अपना अपना भाई भाई नीति अपनाई जा रही है । जनता कमनशीब है, समजति है लेकिन याददास्त कमजोर है । गुजरात मे सतापक्ष और विपक्ष मिल के लाभो के बंटवारे कर रही है । जनता तमाशा देख रही है, मौका मिलके चोका लगाने कि आदत है, राज्य के लोगो कि कब सुधरेंगे हमऔर कब सुधारेंगे।

Wednesday 1 April 2015

ગુજરાતમાં સુરક્ષા અને શાંતિના દાવા કેટલા પોકળ?

 રાજ્ય સરકારે અલગ નારી ગૌરવનીતિ બહાર પાડી છે અને નારી તથા બાળકોની સુરક્ષા માટે વિશેષ દરકાર કરતી હોવાના દાવા પણ કરાય છે. કેગના અહેવાલમાં સરકારની પોકળ ખુલ્લી જાય છે. અહેવાલ મુજબ બાળકીઓની સુરક્ષા અને કલ્યાણની બાબતો ચિંતાપ્રેરક છે. રાજ્યમાં 2013ના વર્ષમાં 15 જિલ્લાઓમાં જન્મ સમયનો જાતિય દર ઘટવા પામ્યો હતો. વર્ષ 2009થી 2014 દરમ્યાન ઈ- મમતા પોર્ટલમાં 70.95 લાખ ગરભાવસ્થાના કિસ્સાઓમાં 57.66 લાખ પ્રસૂતિઓની નોંધણી થઈ છે. 13.29 લાખ બાળકો ક્યાં ગયા અને તે અંગેની તપાસ કે દરકાર કરવામાં સરકાર બેપરવા રહી હતી.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કામગીરી કેટલી પોકળ છે તેની માહિતી ઓડીટના અહેવાલ પરથી જોઈ શકાય છે.
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા સોસાયટી દ્વારા રાજ્યની બાળ સુરક્ષા નીતિ કે તે અંગેની કોઈ યોજના ઘડવામાં આવી નહોતી તેના પરીણામે સરકાર બાળ સુરક્ષા અને કલ્યાણ માટેના લક્ષ્યાંકો અને સિદ્ધાંતો હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. 2001ની વસ્તી ગણતરી દરમ્યાન દેશના જાતિય દરમાં વધારો થયો હતો જ્યારે રાજ્યનો સરેરાશ જાતિય દર 920 થી ઘટની 919 થવા પામ્યો હતો. રાજ્યના 15 જિલ્લાઓમાં જન્મ સમયનો જાતિય દર ઘટ્યો હતો.
બાળ લગ્નોને ખુલ્લો દોર
વર્ષ 2009થી 2014ના સમય દરમ્યાન બાળ લગ્નની 659 જેટલી ફરિયાદો મળી હતી અને તેમાંથી કોર્ટમાં માત્ર 15 કેસ દાખલ કરાયા છે અને આ સમીક્ષાત્મક ગાળા દરમ્યાન તેમાંથી એક પણ વ્યક્તિને દોષિત ઠેરવાયો નથી.
રાજ્યમાં અનાથોના ઉત્થાન કે સંભાળ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
રાજ્યમાં શાંતિ અને સુરક્ષા હોવાના દાવા પોકળ નિવડ્યા
બાળકીઓ પર બળાત્કારોમાં વધારો નોંધાયો
રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે સલામત હોવાની બાંગ પુકારે રાખે છે. સરકારના આ પોકળ દાવાઓની હવા કેગના રીપોર્ટે કાઢી નાખી છે. છેલ્લા પાંચ વર્ષના સમયમાં બાળકીઓ પર બળાત્કારના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં 10 વર્ષ સુધીની બાળાઓ તેમજ 15થી 18 વર્ષની તરૂણીઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં બનેલા કુલ બળાત્કારના બનાવોની સામે બળાત્કારનો ભોગ બનેલી પીડિત બાલિકાઓની ટકાવારી 36.15% થાય છે. સરકાર બળાત્કાર તો અટકાવી શકતી નથી પરંતું, બળાત્કાર પીડિતોને સહાય પણ આપી શકતી નથી. કેગના સામાન્ય અને સામાજિક ક્ષેત્રના માર્ચ-2014ના અહેવાલમાં બાળકીઓ મોટી સંખ્યામાં બળાત્કારનો ભોગ બની રહી હોવાનું બહાર આવ્યું છે.