ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. વિશેષ જોગવાઈ કરવા છતાં કોઈ સાહસિક આગળ આવ્યો નથી.
ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં માત્ર ઔદ્યોગિક જ નહીં, પરંતું કૃષિ ઉત્પાદન આધારિત એકમો પણ કાર્યરત થાય તેના માટે વિશેષ જોગવાઇ સાથેની નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં જાહેર કરી હતી. આ નીતિ મુજબ કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ફૂડ એગ્રો પાર્ક જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છતા ખેડૂતો અને સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ જાહેર કરી હતી.પરંતુ ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજ્યમાં સૂચિત ફૂડ પાર્ક ફળો અને શાકભાજી માટે સુરત, આણંદ, ખેડા અને પ્રાંતિજ તેમજ સ્પાઈસીઝ અને ઈસબગુલ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જ્યારે મગફળી અને તલને લગતા ઉદ્યોગ માટે રાજકોટ, અમરેલી અને જૂનાગઢને સૂચિત કરવામાં આવ્યા હતા. આ માટે 4થી 5 લાખ ચો.મી. જમીનની પણ જોગવાઈ થવા પામી હતી.
રાજ્ય સરકાર દ્વારા મળતી વિગતો મુજબ ઓગષ્ટ, 2014ની સ્થિતિએ ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સંસ્થાનો પાસેથી મેળવેલી કાર્યકારી મૂડી સિવાયના ધિરાણ ઉપર વાર્ષિક 6 ટકાના દરે 5 વર્ષ માટે વધુમાં વધુ રૂ.4 કરોડની મર્યાદામાં બેન્ક-એન્ડેડ વ્યાજ રાહત આપવાની જાહેરાત નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં કરાઇ હતી. જોકે, ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સહાય મેળવવા હજુ સુધી કોઇ અરજી આવી નથી. તેથી કોઇ સહાય પણ ચૂકવવામાં આવી નથી. આ તમામ પ્રકારના ફૂડ પાર્ક પ્રોજેક્ટ માટે સરકાર 5225 કરોડના ખર્ચને અંદાજવામાં આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન માટે પાંચ વર્ષમાં કુલ રૂ.117.14 કરોડની સહાય બે મહિલા ખેડૂતો સહિત કુલ 54 ખેડૂતોને આપવામાં આવી છે. રાજ્યમાં એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ કરવાની અને ફૂડ પાર્ક માટેની જાહેરાતો જેટલા મોટા ઉપાડે કરવામાં આવતી હોય છે. આ યોજનાઓનો ફિયાસ્કો એટલી જ તિવ્ર રીતે થતો હોય છે. હાલમાં પણ અમેઠીમાં ફૂડ પાર્કનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવાના મુદ્દે લોકસભામાં ભારે હંગામો થતાં કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ સહિતના સિનિયર કેન્દ્રિય પ્રધાનોનો સરકારના બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર જ્યારે એક તરફ મેક ઈન્ડિયા કેમ્પેઈન ચલાવતી હોય અને વિદેશોમાં તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું હોય ત્યારે, આ પ્રકારે મોળા પ્રતિસાદના કારણે, કોઈ ઉદ્યોગ શાહસિક આગળ ન આવતાં ફૂડ પાર્કની યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે.
ભારત ખેતપેદાશો અને પશુપાલન વ્યવસાયમાં અવલંબિત દેશ છે. જે દેશમાં ખેતિ આધારીત પેદાશોનું ઉત્પાદન થતું હોય ત્યારે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને સરકારની પ્રોત્સાહક નીતિ અને ખેડૂતોને પ્રોત્સાહન આ પ્રકારના ઉદ્યોગને પરસ્પર સાંકળે છે. ખેતી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને વડાપ્રધાનનું મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમ સાકાર થઈ શકે.
રાજ્યમાં સૂચિત ફૂડ પાર્ક ફળો અને શાકભાજી માટે સુરત, આણંદ, ખેડા અને પ્રાંતિજ તેમજ સ્પાઈસીઝ અને ઈસબગુલ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જ્યારે મગફળી અને તલને લગતા ઉદ્યોગ માટે રાજકોટ, અમરેલી અને જૂનાગઢને સૂચિત કરવામાં આવ્યા હતા. આ માટે 4થી 5 લાખ ચો.મી. જમીનની પણ જોગવાઈ થવા પામી હતી.
રાજ્ય સરકાર દ્વારા મળતી વિગતો મુજબ ઓગષ્ટ, 2014ની સ્થિતિએ ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સંસ્થાનો પાસેથી મેળવેલી કાર્યકારી મૂડી સિવાયના ધિરાણ ઉપર વાર્ષિક 6 ટકાના દરે 5 વર્ષ માટે વધુમાં વધુ રૂ.4 કરોડની મર્યાદામાં બેન્ક-એન્ડેડ વ્યાજ રાહત આપવાની જાહેરાત નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં કરાઇ હતી. જોકે, ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સહાય મેળવવા હજુ સુધી કોઇ અરજી આવી નથી. તેથી કોઇ સહાય પણ ચૂકવવામાં આવી નથી. આ તમામ પ્રકારના ફૂડ પાર્ક પ્રોજેક્ટ માટે સરકાર 5225 કરોડના ખર્ચને અંદાજવામાં આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન માટે પાંચ વર્ષમાં કુલ રૂ.117.14 કરોડની સહાય બે મહિલા ખેડૂતો સહિત કુલ 54 ખેડૂતોને આપવામાં આવી છે. રાજ્યમાં એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ કરવાની અને ફૂડ પાર્ક માટેની જાહેરાતો જેટલા મોટા ઉપાડે કરવામાં આવતી હોય છે. આ યોજનાઓનો ફિયાસ્કો એટલી જ તિવ્ર રીતે થતો હોય છે. હાલમાં પણ અમેઠીમાં ફૂડ પાર્કનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવાના મુદ્દે લોકસભામાં ભારે હંગામો થતાં કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ સહિતના સિનિયર કેન્દ્રિય પ્રધાનોનો સરકારના બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર જ્યારે એક તરફ મેક ઈન્ડિયા કેમ્પેઈન ચલાવતી હોય અને વિદેશોમાં તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું હોય ત્યારે, આ પ્રકારે મોળા પ્રતિસાદના કારણે, કોઈ ઉદ્યોગ શાહસિક આગળ ન આવતાં ફૂડ પાર્કની યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે.
ભારત ખેતપેદાશો અને પશુપાલન વ્યવસાયમાં અવલંબિત દેશ છે. જે દેશમાં ખેતિ આધારીત પેદાશોનું ઉત્પાદન થતું હોય ત્યારે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને સરકારની પ્રોત્સાહક નીતિ અને ખેડૂતોને પ્રોત્સાહન આ પ્રકારના ઉદ્યોગને પરસ્પર સાંકળે છે. ખેતી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને વડાપ્રધાનનું મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમ સાકાર થઈ શકે.
No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.