વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે
છે.
ગત્
યુપીએ સરકાર વખતે વિદેશપ્રવાસ
મુદ્દે ચૂટકી લેનાર ભાજપ
મોદીના વિદેશ તમાશાઓના મુદ્દે
મૌન છે અને પ્રવાસને વિકાસના
નવા રૂપથી જોઈ રહી છે.
વડાપ્રધાન
વિદેશમાં કૂટનિતીઓ કરતાં
પ્બલિસીટી વધારે કરી રહ્યા
છે.
વિદેશ
પ્રવાસ વખતે પોતાના દેશના
રાજનિતિજ્ઞો તરફ હૂમલા કરીને
મોદીઓએ પોતાને સડકછાપ નેતા
હોવાનો વધુ એક પુરાવો આપી દીધો
છે.
વાજપાયી
સહીતના અગાઉના નેતાઓમાં જે
વિદેશનીતિ અને કુનેહ હોવી
જોઈતી હતી તેની મોદીમાં સપષ્ટ
કમી જોવા મળી રહી છે.
મોદીનો
વિદેશમાં જઈને દેશની પૂર્વ
સરકારો પર પ્રહારો કરવામાં
કઈ દેશહીતની નીતિ છુપાયેલી
છે તે એક સંસોધનનો વિષય છે.
મોદી
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને
સંબોધે તે એક સકારાત્મક શરૂઆત
છે.
વિદેશી
નાગરિકો સાથે સકારાત્મકતા
કેળવી ભારત પ્રત્યે નવીન અભિગમ
ઉભો કરવામાં મોદી પ્રયત્નો
કરે તે આવકાર્ય છે.
પરંતું,
દેશની
લોકશાહીના હીતોને ધ્યાનમાં
રાખવા પણ જરૂરી છે.
રાજનીતિ
અને દેશનીતિમાં તફાવત સમજવો
જોઈએ.
વડાપ્રધાન
એટલા તો ગાફેલ નથીજ પરંતું,
પોતે
પોતાના નીજી સ્વાર્થ અને હલકી
પબ્લિસિટી માટે દેશની લોકશાહીને
ભાંડીને પોતાના પગ પર કુહાડો
તો નથી મારી રહ્યાને.
દેશને
નવા ક્ષેત્રની ઉડાનો પર પહોચાડવા
અને અચ્છે દિનો કે વાદોના
સ્વપ્નાઓ પર સવાર થઈને આવેલી
મોદી સરકાર દેશના આંતરિક
પ્રશ્નોના ઉકેલો લાવે તોય
ઘણુ છે.
અન્ય
દેશોમાં પોતાનો ડંકો વગાડવામાં
અને હલ્કી પબ્લિસિટી મેળવવામાં
માહેર મોદી વિદેશની કૂટનીતિઓમાં
કાચા રહેશે તો નવાઈ નહી.
દેશના
એક જવાબદાર નાગરિકની ભાષામાં
વાત કરવી જોઈએ,
પોતે
વિદેશમાં લોકતાંત્રિક ભારતનું
પ્રતિનિધિત્વ કરવા ગયા છેકે
ભાજપનું તે દેશના પ્રબુદ્ધ
સમાજે સમજવાનો સમય છે.
No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.