Sunday 3 May 2015

વર્લ્ડ પ્રેસ ફ્રીડમઃ અભિવ્યક્તિને વ્યક્ત કરવાનો દિવસ

વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવવામાં આવે છે. પત્રકારિત્વમાં પોતાની જાન ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ વૈશ્વિક હીત માટે કાર્ય કરનારને આજના દિવસે બિરદાવવામાં આવે છે. આ વર્ષના ઈન્ડેક્ષમાં ભારતનું વૈશ્વિક પત્રકારિત્વ જગતમાં 136મુ સ્થાન છે અને આજ સુધીમાં 26 ભારતીય પત્રકારોએ પોતાની જાનની આહૂતિ આપી છે.
વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવાય છે. અભિવ્યક્તિ સંકલિત થીમ પર દર વર્ષે 3જી મેના દિવસે વિશ્વભરમાં મનાવાય છે. પત્રકારીતામાં સિદ્ધિ હાંસલ કરવા અને સૈદ્ધાંતિક નીતિઓ માટે તૈયાર કરાયેલ થીમ પર આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું આયોજન છે. જેમાં better reporting, gender equality અને media safety in the digital age ની થીમ UNO દ્વારા આ વર્ષે તૈયાર કરી છે.

પત્રકારીતાએ રાજકિય સુદ્રઢ વ્યવસ્થાનો ચોથો સ્તંભ(Forth piller) કહેવામાં આવે છે. રાજકીય તાકાતો જ્યારે કાબુ બહાર જાય કે પોતાની નિરંકુશ મર્યાદાઓ ઓળંગે ત્યારે પત્રકારીતા એક એવુ માળખુ છેકે જે તેને રોકી શકે છે. વિશ્વમાં લોકોને પત્રકારીતાથી અવગત કરવા અને સાર્વત્રિક જાગૃતિ લાવવા આ “વર્લ્ડ ફ્રીડમ ડે” થીમ તૈયાર કરાય છે. UNO દ્વારા ૧૯૯૩માં સૌ પ્રથમ આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનાર બાદ તેને આજ પ્રર્યત મનાવવામાં આવે છે. દર વર્ષે નવા નવા થીમ પર UNO દ્વારા પત્રકારીતામાં જવાબદેહીની ભાવના જાગૃત કરવાનું કામ કરે છે. 1991માં દુનિયામાં સૌપ્રથમ વખત આફ્રિકામાં 3જી મેના રોજ “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા તેની યાદમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. 1998થી શરૂ કરેલ થીમ પર સંવાદનો સીલસીલો આજે પણ યથાવત્ છે. દર વર્ષની આગવા વિષયની થીમ આ પ્રમાણે છે.
  • 1998માં પ્રથમ વખત ફ્રી પ્રેસ ઈઝ એ કોર્નર સ્ટોન ઓફ હ્યુમન રાઈટ્સ પ્રેસ
  • 1999માં ટર્બ્યુલેન્ટ ઈરાઝ, જનરેશનલ પ્રસ્પેક્ટીવ ઓન ફ્રીડમ ઓફ ધ પ્રેસ
  • 2000માં રીપોર્ટીંગ ધ ન્યુઝ ઈન એ ડેન્જર્સ વર્લ્ડ, ધ રોલ ઓફ ધ મિડીયા, ઈન કોન્પલિક્ટ સેટલમેન્ટ, રીકોન્સિલિએશન એન્ડ પીસ બિલ્ડીંગ
  • 2001માં નામ્બિયામાં સ્વાતંત્ર્ય દિવસ પર યોજાયેલ સંવાદનો થીમ કોમ્બેટીંગ રેસીઝ્મ એન્ડ પ્રમોટીંગ ડાયવર્સિટી, ધ રોલ ઓફ ફ્રી પ્રેસ
  • 2002માં કવરીંગ ધ વાર ઓન ગ્લોબલ ટેરરીઝ્મ
  • 2003માં ધ મિડીયા એન્ડ આર્મડ કોન્ફલિક્ટ
  • 2004માં હું ડિસાઈડ હાઉ મચ ઈન્ફર્મેશન
  • 2005 મિડીયા એન્ડ ગુડ ગવર્નન્સ
  • 2006માં ધ મિડીયા એઝ એ ડ્રાઈવર ઓફ ચેન્જ
  • 2007માં ધ યુનાઈટેડ નેશન્સ એન્ડ ધ ફ્રીડમ ઓફ પ્રેસ
  • 2008ના થીમમાં સેલિબ્રેટીંગ ધ ફન્ડામેન્ટલ પ્રિન્સીપલ્સ ઓફ પ્રેસ ફ્રીડમ
  • 2009ના થીમમાં ડાયલોગ, મ્યુચ્યુંએલ અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ રિકોન્સીલિએશન
  • 2010માં બ્રિસબેન ખાતેના સંવાદનો મુખ્ય થીમ ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશનઃ ધ રાઈટ ટુ નો.
  • 2011માં વોશિંગ્ટન ખાતે થયેલા પરીસંવાદનો મુખ્ય થીમ 21 સેન્ચ્યુરી મિડીયાઃ ન્યુ ફ્રન્ટીયર્સ, ન્યુ બેરીયર્સ
  • 2012નો પરીસંવાદ થીમ ટ્યુનિશીયા ખાતે યોજાયો હતો જેમાં ન્યુ વોઈસીઝઃમિડીયા ફ્રીડમ
  • 2013માં સેફ ટુ સ્પીકઃ સેક્યુરીંગ ફ્રીડમ ઓફ એક્સપ્રેસન ઈન ઓલ મિડીયા
  • 2014માં ફ્રાન્સમાં યોજાયેલ સંવાદનો થીમ મિડીયા ફ્રીડમ ફોર એ બેટર ફ્યુચરઃ શેપીંગ ધ પોસ્ટ-2015 ડેવલપમેન્ટ એજન્ડા
  • 2015માં લેટ જર્નાલિઝ્મ થ્રીવ, ટુવાર્ડઝ બેટર રીપોર્ટીંગ, જેન્ડર ઈક્વોલિટી એન્ડ મિડીયા સેફટી ઈન ધ ડિઝીટલ એઝ.
પત્રકારીતા સમાજમાં દર્પણનું કાર્ય કરતું એક પારદર્શી માધ્યમ છે. જેમાં મિશન અને આદર્શોનો સમન્વય થયેલ છે. દુનિયામાં જયારે માણસે પૈસા પાછળ દોટ મુકી છે ત્યારે પત્રકાર માહિતીને વધુ પ્રાધાન્ય આપે છે. દુનિયાના તમામ દેશોએ પ્રેસ પ્રત્યે પોતાની જવાબદારીઓ અદા કરી છે. આજે ઘણા દેશો એવા છે કે જ્યાં પ્રેસ માટે અનુકૂળ વાતાવરણ છે જ્યારે કેટલાક દેશોમાં વિષમ સ્થિતિઓ પણ છે. ભારત સમગ્ર વિશ્વમાં આ ઈન્ડેક્ષમાં 136મા ક્રમાંક પર છે જે ગયા વર્ષે 140માં ક્રમે હતું.
વિશ્વ પ્રેસ દિન એટલે સમાજમાં એક પત્રકાર તરીકેની વૈશ્વિક જવાબદારી અને સિદ્ધાંત સાથેની સાનુકૂળતા દ્વારા દેશોના સિમાડાઓ ઓળંગીને માનવ જાતના હિત માટે કરેલા કાર્યોને યાદ કરવાનો અને નવી પેઢીઓને પ્રજવલ્લિત કરવાનો દિવસ છે. આ દિવસે તેવા તમામ લોકોને યાદ કરવામાં આવે છે કે જેમણે પોતાની અમીટ છાપ ઈતિહાસમાં મુકી છે. પત્રકારિત્વમાં પોતાના દેહની આહૂતિ આપનાર જાંબાઝ પત્રકારોને યાદ કરવામાં આવે છે તેમને સન્માનિત પણ કરવામાં આવે છે. વૈશ્વિક સુલેહ અને શાંતિકરણમાં મિડીયાની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટેના પ્રયત્નો આજના કરવામાં આવે છે.
દુનિયાએ જ્યારે વૈશ્વિકીકરણના લીધે સુક્ષ્મ સ્વરૂપ લીધુ છે અને ટેક્નોલોજીના કારણે માહિતીના આદાનપ્રદાનની સવલતો વધી છે. પત્રકારિત્વના જગતમાં મિશન, કમિશન અને એમ્બિશન    થી જોડાયેલા તમામે માહિતીની સુનિશ્ચિતતા અને સાત્વિકતા ચકાસવી રહી અને મિડીયા આારસંહિતાને અનુસરી સમાજ અને દેશના કલ્યાણમાં  સમર્પિત રહેવુ એજ આજના દિવસની સાર્થકતા હોઈ શકે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.